Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

પ્રેરણાદાયી લગ્નોત્સવ : ચાંદલાની રકમ વૃધ્ધાશ્રમને અર્પણ

રાજકોટ :  વરીયાવંશ પ્રજાપતિ અને રજપુત પરિવારના આંગણ મંગલ પરીણયનો અવસર આવતા પ્રેરણાદાયી નિર્ણય લેવાયો હતો. કવિતાબેન અને સુરેશભાઇ બડેલીયાની સુપુત્રી ચિ. પ્રતિક્ષાના લગ્ન આશાબેન અને રાજેન્દ્રભાઇ રાઠોડના સુપુત્ર ચિ. જયદીપ સાથે નિરધારવામાં આવ્યા હતા. આ સમયે એકત્ર થયેલ ચાંદલાની તમામ રકમ સેવાકાર્ય માટે વાપરવા નિર્ણય લેવાતા સદ્દભાવના વૃધ્ધાશ્રમને આ રકમ સુપ્રત કરાઇ હતી. વૃધ્ધાશ્રમના ટ્રસ્ટીઓ વિજયભાઇ ડોબરીયા, સુધીરભાઇ શાહ, ધીરેન્દ્રભાઇ કાનાબારે આ પ્રેરણાદાયી નિર્ણયને આવકારી બન્ને પરિવારોને અભિનંદન આપ્યા હતા.

(3:50 pm IST)