Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

પ્લાસ્ટીક ક્રશર મશીન-સાયકલ અને મ્યુઝીક સીસ્ટમનું લોકાર્પણ કરતા નિતિન ભારદ્વાજ

રાજકોટઃસૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતેઙ્ગ મહાત્મા ગાંધીજીની ૧૫૦ મી જન્મજયંતિ વર્ષની ઉજવણીના ભાગરૂપે તથા બંધારણ દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં શ્રી કુમાર પ્રશાંતના વકતવ્યનો કાર્યક્રમ સેનેટ હોલ ખાતે યોજાએલ કાર્યક્રમની સાથે સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે વિદ્યાર્થીલક્ષી ચાર લોકાર્પણો જેમાં પ્લાસ્ટિક ફ્રી કેમ્પસ બનાવવા માટે બે પ્લાસ્ટિક ક્રશર મશીન, પર્યાવરણની જાગૃતિ તથા ફીટનેસ માટે ગર્લ્સ હોસ્ટેલમાં ૧૦ લેડી સાઈકલ તથા બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલમાં સવારે-સાંજે પ્રાર્થના માટે આઠ (૮) મ્યુઝીક સિસ્ટમ અને સ્પીકરનું ગુજરાત પ્રદેશ ભાજપના અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ તથા શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી તથા મહિલા કર્મચારીઓ તથા વિદ્યાર્થીનીઓ માટે જુદા જુદા ભવનો/ગર્લ્સ હોસ્ટેલ ખાતે ૧૩ સેનેટરી વેન્ડીંગ મશીનનું પૂર્વ ધારાસભ્ય શ્રીમતી ભાનુબેન બાબરીયાના વરદહસ્તે ઉદદ્યાટન કરવામાં આવેલ હતું.કાર્યક્રમના ઉદદ્યાટક અને પ્રદેશ ભાજપના અગ્રણીશ્રી નીતિનભાઈ ભારદ્વાજે જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીજીના જીવનમાંથી યુવાનોએ દ્યણું શીખવાનું છે. ગાંધીજીનું જીવન જ તેમનો સંદેશ છે અને યુવાનોએ ગાંધીજીના વિચારોને પોતાના જીવનમાં અપનાવવા જોઈએ.પ્રસ્તુત તસ્વીરમાં કાર્યક્રમની તસ્વીર.

(3:45 pm IST)