Gujarati News

Gujarati News

News of Tuesday, 27th November 2018

મુસ્લિમ સમાજનો જીવનસાથી પરિચય મેળો

 મુસ્લિમ સમાજમાં જાગૃતિ લાવવા સંગઠિત થવા અને કુરીવાજોને તિલાંજલી આપવાના હેતુથી જનજાગૃતિ અભિયાન ટ્રસ્ટનાં નેજા હેઠળ અરવિંદ મણીયાર હોલ, ખાતે યુવક-યુવતિ માટે વિના મુલ્યે જીવનસાથી લગ્ન મેળાનું આયોજન કરવામાં આવેલ હતું. પ૦ યુવતીઓ અને ૮૦ યુવકોએ ભાગ લીધો હતો. સૌરાષ્ટ્ર-કચ્છમાંથી વિવિધ મુસ્લિમ સમાજના આગેવાનો, વાલીઓ ઉપસ્થિત રહીને આયોજકોને બીરદાવેલ હતાં. આ કાર્યક્રમને સફળ બનાવવા ઓસમાણભાઇ ખેબર (ગામેતી) નાં માર્ગદર્શન હેઠળ સાજીદભાઇ ઠેબેપુત્રા, યુનુસભાઇ બેલીમ, અફસાનાબેન મંધ્રા, આશિયાનાબેન મંધ્રા, શબનમબેન બેલીમ, નીધતબેન બેલીમ અને સાથી કાર્યકરોએ જહેમત ઉઠાવેલ હતી. કાર્યક્રમનું સંચાલન હાજી ઇમ્ત્યાઝભાઇ શેખ દ્વારા કરવામાં આવેલ હતું.

 

(4:02 pm IST)