Gujarati News

Gujarati News

News of Tuesday, 27th November 2018

જૈન દીક્ષા મહોત્સવ અવસરે સરગમ પરિવારને મળ્યો મુમુક્ષુના સંયમ સન્માનનો લાભ

રાજકોટઃ શહેરમાં યોજાનારા શ્રી ભાગવતી જૈન દીક્ષા મહોત્સવ અંતર્ગત મુમુક્ષુ ઉપસનાબેન સંજયભાઈ શેઠ અને મુમુક્ષુ  આરાધનાબેન મનોજભાઈ ડેલીવાળાના સંયમ સન્માનના  એક કાર્યક્રમમાં  સરગમ કલબ અને સરગમ લેડીઝ કલબને પણ સન્માન કરવાનો લાભ મળ્યો હતો. સમસ્ત રાજકોટ સ્થાનકવાસી જૈન સંઘોના આંગણે અને શ્રી મહાવીરનગર સ્થાનકવાસી જૈન સંઘના ઉપક્રમે દીક્ષા દાનેશ્વરી રાષ્ટ્રસંત ગુરૂદેવ નમ્રમુનિ મહારાજ સાહેબના શરણમાં યોજાયેલા આ મંગલ અવસરમાં સરગમ કલબના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા અને તેમને ગુરૂદેવ નમ્રમુનિ મહારાજના આશીર્વચનનો લાભ પણ મળ્યો હતો. અમીન રોડ પાસે ડુંગર દરબારના પ્રાંગણમાં યોજાયેલા સંયમ સન્માન કાર્યક્રમમાં મુમુક્ષુ બહેનોનું સરગમ પરિવાર દ્વારા પુસ્તક અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે પ્રારંભમાં સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ ૨૦ હજારની મેદની સમક્ષ સરગમ કલબની પ્રવૃત્તિની ઝાંખી આપી હતી જયારે સરગમ કલબના મંત્રી અને બાન લેબના એમ.ડી. મૌલેશભાઇ ઉકાણીએ સરગમી સેવા કાર્યોથી લાખો લોકો  લાભાન્વિત થયા હોવાનું જણાવ્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્ર સંત ગુરૂદેવ નમ્રમુનિ મહારાજ સાહેબે આશીર્વચન  પાઠવી સરગમની પ્રવૃત્તિઓને બીરદાવી હતી. જાણીતા બિલ્ડર જીતુભાઇ બેનાણીએ તેમની પુત્રી ધારાના જન્મદિવસ નિમિત્તે સ્મશાન અને અન્ય પ્રોજેકટ માટે સહયોગ આપવાની જાહેરાત કરી હતી. આ પ્રસંગે જૈન અગ્રણી અને મહાવીર સેવા ટ્રસ્ટના ચંદ્રકાન્તભાઈ શેઠ અને રાજેન્દ્રભાઈ શેઠ પણ ઉપસ્થિત રહ્યા હતા.

તેમજ સરગમ પરિવારના ડો.પ્રફુલભાઈ શાહ, મિતેનભાઈ મહેતા, ભરતભાઈ સોલંકી, કનૈયાલાલ ગજેરા, દીપકભાઈ શાહ, પ્રફુલભાઇ સંઘાણી, ડો. ચંદાબેન શાહ, નીલુબેન મહેતા, ડો. માલાબેન કુંડલીયા, અલ્કાબેન કામદાર, જયશ્રીબેન રાવલ, ચેતનાબેન સવજાણી  વગેરે ઉપસ્થિત રહ્યા હતા.(૩૦.૫)

(3:58 pm IST)