Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

દિવાળીના તહેવારો દરમ્યાન પણ આરોગ્યલક્ષી સેવાઓ ચાલુ રહેશે: મ્યુનિ. કમિશનર અમિત અરોરા

રાજકોટ :આગામી સમયમાં દિવાળીની રજાઓ તા. ૦૪-૧૧-૨૦૨૧ થી તા. ૦૭-૧૧-૨૦૨૧ના સમયગાળા દરમ્યાન શહેરી આરોગ્ય કેન્દ્રની સેવાઓ ચાલુ રહેશે, તેમ મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું.

  મ્યુનિ. કમિશનરએ વધુમાં જણાવ્યું હતું કે, દિવાળી તહેવાર દરમ્યાન આકસ્મિક પરિસ્થિતિ તથા રોગચાળાની પરિસ્થિતિમાં કોઇ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે હેતુસર રાજકોટ મહાનગરપાલિકા શહેરના શહેરી આરોગ્ય કેન્દ્ર દીઠ એક ઇમરજન્સી ટીમ રાખવામાં આવશે. જેના દ્વારા આકસ્મિક પરિસ્થિતિ તેમજ રોગચાળાની પરિસ્થિતિમાં કામગીરી કરવામાં આવશે.

 

(8:07 pm IST)