Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

ભીલવાસ પાસે ઠક્કરબાપા વાસના સફાઇ કામદાર યોગેશનું મોત

૩૨ વર્ષિય યુવાન સવારે ઘરે બેભાન થઇ ગયા બાદ દમ તોડ્યોઃ વાલ્મિકી પરિવારમાં શોક

રાજકોટ તા. ૨૭: ભીલવાસ પેટ્રોલ પંપવાળા રોડ પર ઠક્કરબાપા હરિજનવાસ કુમાર છાત્રાલય પાછળ શેરી નં. ૨માં રહેતાં અને કોઠારીયા રોડ વિસ્તારના વોર્ડમાં આર.એમ.સી.ના સફાઇ કામદાર તરીકે નોકરી કરતો યોગેશભાઇ પરબતભાઇ નૈયર (ઉ.૩૨) સવારે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારજનોમાં કલ્પાંત સર્જાયો હતો.

હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડાએ પ્ર.નગરમાં જાણ કરી હતી. મૃત્યુ પામનાર યોગેશભાઇ બે ભાઇ અને એક બહેનમાં મોટા હતાં. સંતાનમાં બે પુત્ર છે. બનાવથી સ્વજનો શોકમાં ગરક થઇ ગયા હતાં. હાર્ટએટેક આવી ગયાનું પરિવારજનોએ કહ્યું હતું.

માસ્તર સોસાયટીના જીતુભાઇ સુથારનું બેભાન હાલતમાં મોત

માસ્તર સોસાયટી ૮૦ ફુટ રોડ પર રહેતાં જીતેન્દ્રભાઇ લખુભાઇ વડગામા (સુથાર) (ઉ.વ.૫૮) ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. તેઓ નિવૃત જીવન જીવતાં હતાં.

સંતાનમાં ત્રણ પુત્રી અને એક પુત્ર છે. ભકિતનગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

(3:00 pm IST)