Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા ૩૧મી સુધી કેવડીયામાં વડાપ્રધાનના બંદોબસ્તમાં

આજે ખાસ ફરજ માટે રવાના થયાઃ અગાઉ અમેરિકાના પ્રમુખ ટ્રમ્પની અમદાવાદ મુલાકાત વખતે નોંધનીય ફરજ બજાવી હતી

રાજકોટ તા. ૨૭:  વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી આગામી ૩૦મી ઓકટોબરના રોજ કેવડીયા કોલોની ખાતે વિવિધ કાર્યક્રમોના ઉદ્દઘાટન માટે પધારી રહ્યા હોઇ રાજ્યભરનું પોલીસ તંત્ર એલર્ટ થઇ ગયું છે. રાજકોટ શહેરના ઝોન-૨ ડીસીપી મનોહરસિંહ જાડેજાને વડાપ્રધાનશ્રીના બંદોબસ્તમાં ખાસ ફરજ સોંપવામાં આવી છે.

ડીસીપી શ્રી જાડેજા આજથી ૩૧મી તારીખ સુધી કેવડીયા કોલોની ખાતે ફરજ બજાવશે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના બંદોબસ્ત માટે તેઓ કેવડીયા જવા રવાના થયા છે. ઉલ્લેખનિય છે કે તાજેતરમાં શ્રી જાડેજાને  અમેરિકાના પ્રેસિડેન્ટ ટ્રમ્પની અમદાવાદ મુલાકાત સમયે જાળવેલા આંતરરાષ્ટ્રીય કક્ષાના સજ્જડ બંદોબસ્ત માટે એસપીજીના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતાં.

(11:25 am IST)