Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

મનહર પ્‍લોટ જૈન સંઘ શેઠ પૌષધશાળામાં શનિવારથી આયંબિલ ઓળીની આરાધના

પ્રવચન પ્રભાવિકા પૂ. હસ્‍મિતાબાઇ મ.ના સાંનિધ્‍યમાં

રાજકોટ તા. ર૭: જયવંતા ગોંડલ સંપ્રદાયના પૂ. ધન્‍ય-ભદ્ર ગુરૂણીના સુશિષ્‍યા પ્રવચન પ્રભાવિકા પૂ. હસ્‍મિતાબાઇ મ. ઠા. ના સુમંગલ સાનિધ્‍યે શ્રી મનહર પ્‍લોટ સ્‍થા. જૈન સંઘ શેઠ પૌષધશાળાના પાવન પ્રાંગણે ‘‘આસો માલની શાશ્‍વતી આયંબિલ ઓળી''નો મંગલ તા. ૧ શનિવારથી શરૂ થશે. કાયમી નવકાર મહામંત્રના તથા ચોવીસા યંત્રના જાણ નવપદજીની મહિમા સમજાવતા નવ દિવસ આત્‍મલક્ષી અને પ્રભાવશાળી પ્રવચન સવારના ૭ થી સાંજના ૭ સુધીના નવકાર મહામંત્રના અખંડ જાપનું આયોજન કરવામાં આવેલ છે.

સંઘના દરેક જિજ્ઞાસુ શ્રાવક ભાઇ બહેનોને દર્શન તથા વ્‍યાખ્‍યાન વાણીનો લાભ લેવા તેમજ આયંબિલ તપ કરવા ઇચ્‍છુક તપસ્‍વીઓને પોતાના નામ આગલા દિવસે હર્ષાબેન મહેતા અથવા ચારૂબેન અદાણી પાસે લખાવવાના રહેશે તેમજ સંઘ પ્રમુખ ડોલરભાઇ કોઠારીની યાદી જણાવે છે. 

(3:55 pm IST)