Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

કોંગ્રેસના કાર્યક્રમના ધજા-પતાકા ફરી ઉતારતા વિવાદ

શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રદીપ ત્રિવેદી તથા ધારાસભ્‍ય લલીત કગથરાની આગેવાનીમાં મ્‍યુનિ. કમિશનર ને રજૂઆત : ચાલો કોંગ્રેસની સાથે -માં ના દ્વારે કાર્યક્રમના બેનર, ઝંડા, ધજા, પતાકા, : શાસકો અને જગ્‍યા રોકાણ શાખાના અધિકારીના ઇશારે ઉતારાયા : આક્ષેપ

રાજકોટ, તા. ર૭ :  મનપા કોંગ્રેસના કાર્યક્રમની ઝંડી, પતાકા ફરી ઉતારવામાં આવતા આજે શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રદિપ ત્રિવેદી, ધારાસભ્‍ય લલીત કગથરાની આગેવાનીમાં મ્‍યુનિ. કમિશનરને રજુઆત કરવામાં આવી હતી.

કોંગ્રેસે  મ્‍યુનિસિપલ કમિશ્નરને ચીમકી જો આવું ચાલુ રહેશે તો ભાજપની ઝંડી કોંગ્રેસના કાર્યકરો ઉતારશે. આ ઝંડીઓ શાસકોના ઇશારે કર્યાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે.

આ અંગે કોંગ્રેસે મ્‍યુનિ. કમિશ્નરને  રજૂઆત કરવામાં આવેલ છે કે આવતીકાલે આસો સુદ-૩ તા.૨૮ ના રોજ ચાલો કોંગ્રેસની સાથે-માં ના દ્વારે ના રેલી અંતર્ગત રૂટ ઉપર ભારતીય રાષ્‍ટ્રીય કોંગ્રેસ પક્ષનું પ્રચાર સાહિત્‍ય લગાડવામાં આવેલ હોય જેના ભાગરૂપે મહાનગરપાલિકા દ્વારા મંજુરી આપવામાં આવેલ હોય તેમજ બેનરના પ્રચાર સાહિત્‍યના નાણા ભરપાઈ કરવામાં આવ્‍યા હોવા છતાં રાજકોટ મહાનગરપાલિકાના દબાણ હટાવ વિભાગ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી ઠેકઠેકાણે રેલીના રૂટ ઉપરથી ઝંડા-ધજા-પતાકા ઉતારવામાં આવી રહ્યા હોઈ ત્‍યારે રાજકોટ શા માટે કોંગ્રેસનો કાર્યક્રમ હોય ત્‍યારે જ ઝંડા-ધજા હટાવવામાં આવે છે ? ભાજપના કેમ ઉતારવામાં આવતા નથી ? જયારે ભાજપની ઝંડી-ધજા રોશની શાખાના વાહનો દ્વારા લગાડવામાં વધુમાં કોંગી આગેવાનોએ જણાવ્‍યું હતું કે આવતો હોવાનો આક્ષેપ કર્યો હતો. છ-છ માસ સુધી ભાજપની ઝંડીઓ ઉતારવામાં નથી આવતી? એક ને ખોળ અને બીજાને ગોળ જેવી નીતિ મનપાના તંત્ર દ્વારા કેમ અપનાવવામાં આવે છે? શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રદીપભાઈ ત્રિવેદીએ કોંગ્રેસની મ્‍યુનિસિપલ કમિશ્નરને ચીમકી આપતા જણાવ્‍યું કે જો આવું ચાલુ રહેશે તો આગામી સમયમાં ભાજપની ઝંડી-ઝંડા કોંગ્રેસના કાર્યકરો ઉતારશે.

આ રજુઆતમાં  શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રદીપ ત્રિવેદી, કાર્યકારી પ્રમુખ સંજય અજુડિયા, વિરોધપક્ષના નેતા ભાનુબેન સોરાણી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશભાઈ રાજપૂત, જશવંતસિંહ ભટ્ટી, મહિલા કોંગ્રેસ પ્રમુખ દિપ્તીબેન સોલંકી, એસ.સી. વિભાગ ચેરમેન નરેશભાઈ સાગઠીયા, સુરેશભાઈ બથવાર, ગોપાલભાઈ અનડકટ, વોર્ડ પ્રમુખ ગીરીશભાઈ પટેલ, કેતન તાળા, પ્રહલાદસિંહ ઝાલા, દેવેન્‍દ્રસિંહ રાણા, કલ્‍પેશભાઈ સાધરાની, અરવિંદભાઈ મુછડિયા, દીપ ભંડેરી, મનોજભાઈ ગેડિયા, મયુરભાઈ સરવૈયા, સહિતના આગેવાનો-કાર્યકરો બહોળી સંખ્‍યામાં રજૂઆતમાં ઉપસ્‍થિત રહ્યા હતા તેમ કોંગ્રેસ કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટે જણાવ્‍યું છે.

(3:54 pm IST)