Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

શનિવારે ત્રિકોણબાગથી જયુબેલીબાગ મહાત્મા ગાંધીજીની પ્રતિમા સુધી યોજાશે પદયાત્રા

સફાઇ કામદાર જાગૃતિ મંડળ દ્વારા સતત રરમાં વર્ષે ગાંધી જયંતિની ઉજવણી : નીતિન ભારદ્વાજ, અરવિંદભાઇ રૈયાણી, ધનસુખ ભંડેરી, પ્રદિપ ડવ, કમલેશ મિરાણી, પુષ્કર પટેલ સહિતના પદાધિકારીઓ ત્થા કલેકટર મ્યુ. કમિશનર, પોલીસ કમિશનર સહિતના અધિકારીઓની ઉપસ્થિતિ

રાજકોટ, તા. ર૭ :  અત્રેનાં શ્રી સફાઇ કામદાર જાગૃતિમંડળ દ્વારા સતત રરમાં વર્ષે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ પ્રસંગે તા. ર ઓકટોબરને શનિવારે ''ગાંધીજયંતિ''ની ઉજવણી કરવામાં આવશે.

આ પ્રસંગે તા. ર ઓકટોબરને શનિવારે સવારે ૧૧ વાગ્યે ત્રિકોણ બાગથી મંડળના સભ્યો પદયાત્રા યોજીત અને જયુબેલી બાગ ખાતે મહાત્મા ગાંધીજીની પ્રતિમાએ પહોંચી પૂ.બાપુની પ્રતિમાને ફુલહાર કરશે.

આ પ્રસંગે પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઇ ભારદ્વાજ મ્યુ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, ધારાસભ્ય અરવિંદ રૈયાણી, મેયર પ્રદિપ ડવ, ડે. મેયર ડો. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, પૂર્વ કોર્પોરેટર અમરસિંહ મકવાણા, કલેકટર અરૂણ મહેશ બાબુ મ્યુ. કમિશનર અમિત અરોરા, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ વગેરે સહિતનાં અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.

સમગ્ર પદયાત્રા રેલીને સફળ બનાવવા મંડળનાં પ્રમુખ ભરતભાઇ બારૈયા, ઉપપ્રમુખ અશોકભાઇ બારૈયા, મંત્રી મનસુખભાઇ વાઘેલા, સહમંત્રી અતુલભાઇ ઝાલા, ખજાનચી, શૈલેષભાઇ વાઘેલા, કાર્યાલય મંત્રી ભાર્ગવ વાઘેલા તથા યુવા જાગૃતિમંડળના પ્રમુખ રાજેશ વાઘેલા, ઉપપ્રમુખ કૌશિક સોઢા, રાહુલ બારૈયા, વિમલભાઇ વાળોદરા, પ્રકાશભાઇ વાઘેલા, ઉઠાવી રહ્યા છે.

(4:32 pm IST)