Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

કાર્તિક ચંદારાણાના સ્મરણાર્થે ૪૧૬ પરિવાર અને જાદવ પરિવાર દ્વારા શ્રીનાથજીની ઝાંખીઃ પૂ.પરમાત્માનંદજીની ઉપસ્થિતિ

રાજકોટઃ સ્વ.કાર્તિક શશીકાંતભાઈ ચંદારાણાના સ્મરણાર્થે ૪૧૬ પરિવાર તેમજ  જાદવ પરિવાર (મુંજકા) દ્વારા આશીફ ઝેરીયા પ્રસ્તુત શ્રી નાથજીની ઝાંખીનો ભવ્ય કાર્યક્રમ સંપન્ન થયેોલ. આ પ્રસંગે પ.પૂ.સ્વામી પરત્માનંદજી (આર્ષ વિદ્યા મંદિર મૂંજકા) ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે સર્વશ્રી લાખાભાઈ લાગઠીયા (ધારાસભ્ય, રાજકોટ ગ્રામ્ય), કમલેશભાઈ મીરાણી (રાજકોટ શહેર ભાજપ પ્રમુખ), પુષ્કરભાઈ પટેલ (સ્ટે.કમીટી ચેરમેન), જીતુભાઈ કોટડીયા (કોર્પોરેટર વોર્ડ નં.૯), આશાબેન ઉપાધ્યાય (કોર્પોરેટર વોર્ડ નં.૯), દક્ષાબેન વસાણી (કોર્પોરેટર વોર્ડ નં.૯), હાર્દીકભાઈ ગોહેલ (કોર્પોરેટર વોર્ડ નં.૫) ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મુંજકા ગામના પૂર્વ સરપંચ જે.ડી. જાદવ, હિરેનભાઈ ચંદારાણા, નિલેશભાઈ વાળા, સોહીનભાઈ મીર તેમજ અન્ય કાર્યકતા વિપુલભાઈ પોપટ, અમનભાઈ પરમાર, પ્રશાંતભાઈ જોષી, વિષ્ણુભાઈ જોષી, પ્રણભાઈ ખંડવી, રાકેશ ખંડવી, વૈભવ ખંડવી, સંજય કથ્રેચા, કરણ આહીર, હાર્દીક વાજા, નિલેશ વાજા, મનીષભાઈ રૂપાણી, દિવ્યેશ ભટ્ટીએ જહેમત ઉઠાવી હતી.

(4:31 pm IST)