Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

જૈન તપગચ્છ સંઘ દ્વારા પાંજરાપોળમાં જીવદયા ફંડ અર્પણઃ તપસ્વીઓનું સન્માન

રાજકોટઃ રાજકોટ જૈન તપગચ્છ સંઘ દ્વારા પર્યુષણ પર્વે દાદાવાડી દેરાસર, મણીયાર દેરાસર, જાગનાથ દેરાસર તથા પટ્ટણી દેરાસરના તમામ શ્રાવક-શ્રાવીકાઓ વતી પાંજરાપોળમાં રૂ.૧.૬૧ લાખનો ચેક અર્પણ કરાયેલ. ઉપરાંત સુખડીયા પરિવારના અમીચંદભાઇ રાયચંદભાઇના પૌત્ર રિધમ અશ્વીનભાઇ તથા પૌત્રી રાજવી વિરેનભાઇની નવ ઉપવાસની આરાધના સુખ-શાતામાં પૂર્ણ કરતા સંઘ દ્વારા માંડવી ચોક દેરાસર ખાતે બંનેનું સન્માન કરવામાં આવેલ. આ પ્રસંગે સંઘ પ્રમુખ જીતુભાઇ ચા વાળા, પંકજભાઇ કોઠારી, બકુલભાઇ રૂપાણી, હિરાભાઇ મારવાડી, અરૂણભાઇ દોશી, કિરીટભાઇ સંઘવી, દિપકભાઇ મહેતા તથા મયુરભાઇ મહેતા હાજર રહેલ.

(3:35 pm IST)