Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

યુવાઓનું પ્રેરક કાર્ય : વીર ભગતસિંહ ફેન કલબ દ્વારા આવતીકાલે રકતદાન કેમ્પ

રાજકોટ, તા. ૨૭ : માં ભારત ભોમને આઝાદી અપાવવામાં જેનું અમૂલ્ય યોગદાન રહ્યુ છે તેવા ક્રાંતિ વીર શહીદ ભગતસિંહજીની ૧૧૨મી જન્મજયંતિ નિમિતે તેમના ક્રાંતિકારી વિચારોને જીવંત રાખવા અને નવી પેઢીને વિચારોથી ઉજાગર કરવાના એક માત્ર હેતુથી વીર ભગતસિંહ ફેન કલબ દ્વારા આવતીકાલે ત. ૨૮ને શનિવારના રોજ સવારે ૮ થી બપોરના ૧ વાગ્યા સુધી પશ્ચિમ ઝોન, મામલતદાર કચેરી પાસે આત્મીય કોલેજની સામે, કાલાવડ રોડ ખાતે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે. કેમ્પમાં રેડક્રોસ બ્લડ બેંકનો સહકાર મળી રહ્યો છે. આ કેમ્પને સફળ બનાવવા માનવ રાઠોડ - મો. ૬૩૫૩૫ ૫૨૬૦૮, અભિષેક મહેતા - ૯૪૦૯૦ ૦૭૮૬૮, મીત પૂજારા - મો.૯૭૨૪૭ ૭૩૩૦૧, મોહીલ મોકરીયા - ૮૩૨૦૦ ૩૫૪૭૧, અભિજીત વડેરા સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:55 pm IST)