Gujarati News

Gujarati News

News of Tuesday, 27th August 2019

આંબેડકરનગરના જયેશભાઇ ચાવડાની હત્યામાં દિનેશ ચાવડા જેલહવાલે

રાજકોટઃ રવિવારે આજી જીઆઇડીસી મેઇન રોડ સરલ સ્ટવ પાસે સસ્‍તા અનાજની દુકાન ધરાવતા આજી વસાહત આંબેડકરનગર-૧૨માં રહેતા જયેશભાઇ કાનજીભાઇ ચાવડા (ઉ.વ.૪૨)ને આંબેડકરનગર-૧૨માં રહેતા દિનેશ બાબુભાઇ ચાવડા બે મહિના પહેલા થયેલા ડખ્‍ખાનો ખાર રાખી સરાજાહેર છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી. આ બનાવમાં થોરાળા પોલીસ મથકના પી.આઇ. બી.ટી. વાઢીયા, રાઇટર અજીતભાઇ ડાભી, ભરતસિંહ પરમાર તથા કેલ્વીન સાગર સહિતે દિનેશ ચાવડાની ધરપક કરી તેના ક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આજે તેના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજુ કરાતા તેને જેલહવાલે કરવામાં આવ્યો છે.

(6:56 pm IST)