Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

ત્રંબાના ખેડુત દ્વારા ગુજરાત લેન્ડ ગ્રેબીંગ પ્રોહિબીશન એકટ અન્વયે કલેકટરને ફરીયાદ

રાજકોટ તા. ર૬ : અત્રે કસ્તુરબાધામ (ત્રંબા) ના ખેડુતે કમલેશ શામજી રામાણી અને પરસોતમ ખીમા રાણપરીયા વિરૂધ્ધ ધી ગુજરાત લેન્ડ ગ્રેબીંગ પ્રોહીબીશન એકટ-ર૦ર૦ મુજબ ફરીયાદ નોંધાવેલ છે.

આ કામની વિગત ટુંકમાં એવી છે કે, રાજકોટ જીલ્લાનાં રાજકોટ તાલુકાનાં કસ્તુરબાધામ (ત્રંબા)ના રહેવાશી ખેડુત ખાતેદાર જયેશ પરસોતમભાઇ ત્રાપસીયાએ આરોપી કમલેશ શામજી રામાણી પાસેથી રજી.સાટાખતથી તા.૩/૩/ર૦૧૬ ના રોજ સબ-રજીસ્ટ્રાર રાજકોટ ઝોન-૮ (ગ્રામ્ય) રજી. નં.૮૪ર તા.૩/૩/ર૦૧૬ ફરીયાદી જોગનાં સાટાખતથી ખરીદ કરેલ અને સાટાખ વખતે રૂ. ૪,૦૦,૦૦૦ આરોપી નં. ૧ નાને આપેલા અને બાકીના અવેજની રકમ રૂ.૧,૦૦,૦૦૦ આપવા ફરીયાદી તૈયાર હતા અને તૈયાર છે અને ત્યારબાદ ફરીયાદીએ આરોપીઓ સામે કરાર પાલનની નોટીસ આપેલી, તેમજ સીવીલ કોર્ટમાંં કરાર પાલનનોદાવો કરેલો. આમ છતાં આરોપી નં.૧ ના ખેડુત જયેલભાઇ પરસોતમભાઇ ત્રાપસીયાને વેચેલ રાજકોટ તાલુકાના મોજેગામ-તરઘડીયાનાં ખેડવાણ જમીનના રેવન્યુ સર્વે નં.૧૧૧ પૈકી ૧ નવાણવાડીનું પડું તરીકે ઓળખાતી જીરાયત-બાગાયત પ્રકારની ખેતીની ખેડવાણ જમીન હે.આરે.ચો.મી.૦-પ૦-પ૯ ની ખેડવાણ જમીનનો વેચાણ દસ્તાવેજ આરોપી નં. ૧ નાએ તેમના મળતીયા અને સગા આરોપી નં.ર ના જોગ કરી અને મોટો અવેજ ચુકવીને રજી.સાટાખતથીના કસ્તુરબાધામ (ત્રંબા) ખેડુતે ખરીદ કરેલ જમીન પચાવી પાડેલ હોય આરોપીઓ વિરૂધ્ધ કસ્તુરબાધામ (ત્રંબા) જયેશભાઇ પરસોતમભાઇ ત્રાપસીયાએ નવા જમીન દબાણના કાયદા હેઠળ રાજકોટના કલેકટરને એક લેખીત ફરીયાદ તા.૧૪/૭/ર૦ર૧ ના રોજ કરેલ છે.  આ કામે ફરીયાદી તરફે વકીલ કેતન એન.સિંધવા, રામકુભાઇ બોરીચા(કાઢી) રોકાયેલા છે.

(4:05 pm IST)