Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

પુનિત સદ્દગુરૂ ભજન મંડળ દ્વારા સ્વ. જીતુભાઇ ચતવાણીને શ્રધ્ધાંજલી અર્પણ

નથવાણી, રાયઠઠ્ઠા, જોબનપુત્રા, રાજદેવ, માવાણી, વાછાણી પરિવારના દિવંગતોને પણ શ્રધ્ધાંજલી

રાજકોટ તા. ૨૬ : શ્રી પુનિત સદ્દગુરૂ ભજન મંડળ દ્વારા સ્વ. જીતુભાઇ ચતવાણીની દ્વીતીય વાર્ષિક તીથી નિમિતે સંતપુનિતના ભજનો દ્વારા શ્રધ્ધાંજલી અર્પણ કરાઇ હતી. સ્વ. જીતુભાઇ ગુરૂદેવ શ્રી રણછોડદાસજી બાપુના અનન્ય સેવક હતા. ન્યારા આશ્રમના ટ્રસ્ટી પણ રહી ચુકયા છે. સરળ અને પરોપકારી સ્વભાવના હતા.  ઉપરાંત સ્વ. નટવરલાલ રાયઠ્ઠઠા, સ્વ. વિનુભાઇ જોબનપુત્રા, સ્વ. હેમાબેન રાજદેવ, સ્વ. દિનુબાળા માવાણી, સ્વ. કલ્પનાબેન વિપુલભાઇ વાછાણી, સ્વ. ગોરધનભાઇ (ભાણજી ગણેશ નથવાણીવાળા) ને પણ શ્રી પુનિત સદ્દગુરૂ ભજન મંડળના માધ્યમથી શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. ભાવિકો-સભ્યો જયશ્રીબેન જયેશભાઇ નથવાણી, પૂર્વીબેન પુનિતભાઇ નથવાણી, મેઘાબેન હેનિતભાઇ નથવાણી, વિપુલ બાબુભાઇ પેંડાવાળા, જેન્તીભાઇ માંડલીયા, ગુણવંતભાઇ ઠકકર (અમદાવાદ), બિહારીભાઇ ભોજાણી, ભાવનાબેન રૂપારેલીયા (લંડન), ગીતાબેન જશુભાઇ રાઠોડ, જયપ્રકાશ બુધ્ધદેવ, અશ્વિન દાણીધારીયા (સાધુ), મયુરબાપુ, કવિતાબેન નારૂલા, જશ્મીનાબેન મોદી, દયાળજીભાઇ રાઠોડ, ઉર્મીલાબેન કાગડા, ક્રિષ્નાબેન વિનોદભાઇ જોબનપુત્રા, રમેશભાઇ ખંધેડીયા (બીઓબી), જીતુભાઇ દવે (એડવોકેટ), આયુષ ભરતભાઇ ગોલાણીયા, ભારતીબેન દવે, વિજયભાઇ રાચ્છ, મહેન્દ્રભાઇ માંડલીયા, કાંતીભાઇ ચુડાસમા, સંજયભાઇ પરમાર, સંગીતાબેન શૈલેષભાઇ સુચક, રંજનબેન ખીમાણી (વેરાવળ), ગીતાબેન યાદવ, જયોતીબેન શીંગાળા (મદ્રાસ), અમુભાઇ ગોલાણીયા, અરવિંદભાઇ જેઠવા, જયશ્રીબેન જોબનપુત્રા, હેતલબેન નથવાણી તરફથી યોગદાન પ્રાપ્ત થયેલ. અંતમાં કોરોના મુકિત માટે વિશ્વ કલ્યાણની પ્રાર્થના કરાઇ હતી. 

(3:05 pm IST)