Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

સોની બજાર અઠવાડીયુ સ્વૈચ્છિક બંધ

રાજકોટ : શહેરમાં કોરોનાના વધતા સંક્રમણના પગલે વિવિધ બજારો સ્વૈચ્છિક રીતે ધંધા વેપારનો સમય ઘટાડી રહ્યા છે. ત્યારે રાજકોટ સોની બજાર આજથી એક અઠવાડીયુ સ્વૈચ્છિક રીતે બંધ પાળશે. રાજકોટ ગોલ્ડ ડિલર્સ એસોસીએશન દ્વારા જણાવાયુ છે કે બજારમાં અસંખ્ય કોરોનાના પોઝીટીવ કેસ છેલ્લા થોડા દિવસમાં આવેલા છે અને રોજેરોજ કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે અને એસોસીએશન દ્વારા તા. ૨૭ જુલાઈથી તા.૧ ઓગષ્ટ સુધી સ્વૈચ્છિક બંધ પાળવાનો નિર્ણય કરાયો હોવાનું રાજકોટ ગોલ્ડ ડિલર્સ એસો.ના પ્રમુખ શ્રી ભાયાભાઈ સહોલીયાએ જણાવાયુ હતું. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(1:12 pm IST)