Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

જૈન સમાજ દ્વારા પ્રદેશ ભાજપ લીગલ સેલના સહસંયોજક ધારાશાષાી અનિલભાઇ દેસાઇનું સન્‍માન

રાજકોટ તા. ૨૭ : તાજેતરમાં ગુજરાત પ્રદેશ ભાજપ લીગલ સેલના સહ સંયોજક તરીકે એડવોકેટ અનિલભાઈ દેસાઈની નિમણૂંક થતાં સમસ્‍ત રાજકોટ જૈન સમાજ દ્વારા તેઓની ઓફીસે જઈને અભિવાદન કરી અભિનંદન પાઠવવામાં આવેલ.

સમસ્‍ત જૈન સમાજના અગ્રણીઓએ જણાવ્‍યું કે અનિલભાઈ દેસાઈની નિમણૂંક થતા સમસ્‍ત જૈન સમાજ ગૌરવ અનુભવે છે. એડવોકેટ કમલેશભાઈ શાહે પ્રદેશ ભાજપ લીગલ સેલની પ્રવૃત્તિઓ વિશે સૌને માહિતગાર કરતાં જણાવ્‍યું કે સુપ્રતિષ્ઠિત સંગઠન છે અને લીગલ સેલ અનેકવિધ પ્રવૃત્તિઓ કરી રહેલ છે.

અનિલભાઈ દેસાઈએ પોતાના પ્રતિભાવમાં જણાવ્‍યું કે ધર્મ સ્‍થાનકો, ઉપાશ્રયો, જિનાલયો, દેરાસરો, ધાર્મિક સંસ્‍થાઓ વગેરેમાં કાયદાકીય માર્ગદર્શનની જરૂર પડે ત્‍યાં મને સેવાનો અવસર પ્રદાન કરજો. સમસ્‍ત જૈન સમાજે આપેલ અભિનંદન એવમ્‌ શુભેચ્‍છા અર્પણ કરવા બદલ દરેકનો આભાર વ્‍યક્‍ત કરેલ.

અભિવાદન અવસરમાં ગોંડલ સંપ્રદાયના અગ્રણી પ્રવિણભાઈ કોઠારી, મનહર પ્‍લોટ સંઘ પ્રમુખ, ડોલરભાઈ કોઠારી, મહાવીર નગર સંઘ મંત્રી સુધીરભાઈ બાટવીયા, અજરામર સંઘ પ્રમુખ મધુભાઈ ખંધાર, ટ્રસ્‍ટી કિરીટભાઈ સંઘવી, મહેન્‍દ્રભાઈ સંઘવી, અયોધ્‍યા પૂરમ ટ્રસ્‍ટી જયંતભાઈ મહેતા, જૈન સાહિત્‍યકાર મનોજ ડેલીવાળા,જૈન અગ્રણી અમિનેષભાઈ રૂપાણી, જૈન એડવોકેટ ફોરમના રાષ્ટ્રીય સદ્દસ્‍ય કમલેશભાઈ શાહ, શ્રમજીવી સંઘ પ્રમુખ મહેશભાઈ મહેતા, નેમિનાથ - વીતરાગ સંઘ પ્રમુખ ભરતભાઈ દોશી, મોટા સંઘ મંત્રી કમલેશભાઈ મોદી, સરદાર નગર સંઘ સહ મંત્રી ઉપેનભાઈ મોદી, નવકાર મંડળ પ્રમુખ પ્રતાપભાઈ વોરા, નાલંદ સંઘના નિલેશભાઈ શાહ, મોટા સંઘ કારોબારી સભ્‍ય કુમારભાઈ શાહ, શેઠ ઉપાશ્રયના રમેશભાઈ શેઠ, તનસુખભાઈ સંઘવી, જૈન ચાલ સંઘ પૂર્વ પ્રમુખ પરેશભાઈ સંઘાણી, સત્‍કાર્ય સેવા સમિતિનાᅠ રાકેશભાઈ ડેલીવાળા, સંજયભાઈ મહેતા, નિતીનભાઈ મહેતા, વગેરે અગ્રણીઓ ઉપસ્‍થિત રહેલ તેમ સમસ્‍ત જૈન સમાજની યાદીમાં જણાવાયું છે.

(3:43 pm IST)