Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

જગન્નાથજીની રથયાત્રાની છડી પોકારવા રવિવારે નાનામવા સર્કલથી બાઇક રેલી

રાજકોટ તા. ૨૭ : આગામી અષાઢી બીજના તા. ૪ ના ભગવાન જગન્નાથજી મંદિર નાનામવા ખાતેથી વિશાળ રથયાત્રાનું આયોજન થયુ હોય તેની છડી પોકારવા આગામી તા. ૩૦ ના રવિવારે બાઇક રેલીનું આયોજન કરાયુ છે.

આ બાઇક રેલીના ઇન્ચાર્જ તરીકે શિવસેનાના જીમ્મીભાઇ અડવાણીને જવાબદારી સોંપવામાં આવી છે. વિવિધ સંસ્થા, મંડળના યુવાનોએ કેસરીયો ખેસ ધારણ કરી બાઇક સાથે રેલીમાં જોડાવા  તેઓએ જાહેર અનુરોધ કરેલ છે.

કૈલાસધામ આશ્રમ, નાનામવા ખાતેથી રવિવારે સાંજે પ વાગ્યે બાઇક રેલીને પ્રસ્થાન કરાવાશે. જે રથયાત્રાના રૂટ પર ફરી વળશે.

યુવાનો, આગેવાનોએ સાંજે પ વાગ્યે બાઇક સાથે મોકાજી સર્કલ, નાનામવા ખાતે પહોંચી જવા અનુરોધ કરાયો છે. સમગ્ર આયોજનને સફળ બનાવવા નાનામવા ક્ષત્રિય સમાજ, હિન્દુ જાગરણ મંચ, શિવસેના, હિન્દુ યુવા વાહીની, વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન, રાધેશ્યામ ગૌશાળા સહીતની સંસ્થાઓ સાથે જોડાયેલ છે.

(3:38 pm IST)