Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

ભગવતીપરા સુખસગાર સોસાયટીના ગોપાલભાઇનું બેભાન હાલતમાં મોત

રાજકોટ તા. ૨૭: ભગવતીપરા સુખસાગર સોસાયટી-૩માં રહેતાં ગોપાલભાઇ શોભનભાઇ તીખાતરી (ઉ.૫૦) ગત રાતે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.

હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને અક્ષય ડાંગરે જાણ કરતાં બી-ડિવીઝનના એએસઆઇ કે. યુ. વાળાએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક મુળ ઉત્તરાખંડના વતની હતાં. તેમને લાંબા સમયથી પેરાલિસીસ હતું. સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

(3:39 pm IST)