Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

શ્રી રામ કથામાં કથાકાર પૂ.ભૂપેન્દ્રભાઇ પંડ્યાનું જૈન અગ્રણીઓ દ્વારા સન્માન

રાજકોટઃ શ્રી રાજકોટ લોહાણા મહાજન દ્વારા ચેોધરી હાઇસ્કુલના પટાંગણમાં આયોજીત શ્રી રામ કથા પારાયણમાં પ્રખર કથાકાર પૂ.ભાઇશ્રી ભૂપેન્દ્રભાઇ પંડ્યાનું સમગ્ર જૈન સમાજના શ્રેષ્ઠીઓ સર્વશ્રી ચંદ્રકાંતભાઇ શેઠ જીતુભાઇ ચા વાળા મિલનભાઇ કોઠારી, સંજયભાઇ મહેતા, અરૃણભાઇ દોશી, કિરીટભાઇ સંઘવી અને શ્રેણીક દોશી દ્વારા સન્માન કરવામાં આવેલ હતું. રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઇ પોબારૃ, ઉપપ્રમુખ ડો. નિશાંત ચોટાઇ, અનિલભાઇ વણઝારા સહિતના રઘુવંશી આગેવાનોએ  જૈન સમાજના અગ્રણીઓનું સ્વાગત, અભિવાદન કરેલ હતું. આ પ્રસંગેે ખોડલધામના નરેશભાઇ પટેલ, વોરા સમાજના યુસુફભાઇ જોહર સહિતના આગેવાનો ઉપસ્થિત રહેલ હતા.

(3:45 pm IST)