Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

કાલથી રાજકોટ એસ.ટી. ડીવીઝન નવી ૪ ટ્રીપો દોડાવશે : સોમનાથ- ઉના- મહુવા- ધ્રાંગધ્રા કાલથી શરૂ

રાજકોટ, તા. ર૭ : એસ.ટી. રાજકોટ ડિવીઝન કાલથી વધુ ૪ નવી ટ્રીપ શરૂ કરવા જઇ રહ્યું છે. હાલ ૯ર ટ્રીપો દોડે છે, એમાં ૪ નવી બસો રાજકોટથી ૪ શહેર માટે મૂકાશે. આ બધી એક-એક ટ્રીપ હોવાનું અધિકારી વર્તુળોએ ઉમેર્યું હતું.  તેમણે જણાવેલ કે આ ટ્રીપમાં રાજકોટથી સોમનાથ, ઉના, મહુવા અને ધ્રાંગધ્રા માટે એક-એક બસ મૂકાઇ છે.  અમૂક રૂટમાં બસો ખાલી દોડતી હોય તેનું એડજસ્ટમેન્ટ કરી ઉપરોકત ૪ નવી ટ્રીપ શરૂ કરવામાં આવી રહી છે. જેમાં રાજકોટથી સોમનાથ, રાજકોટથી ઉના અને ધ્રાંગધ્રા સવારે ૮ વાગ્યે બસો ઉપડશે અને રાજકોટ-મહુવા વચ્ચે બસની એક ટ્રીપ સવારે ૧૧ વાગ્યે ઉપડશે. હાલ સંચાલન ગોઠવાઇ રહ્યાનું સૂત્રોએ ઉમેર્યું હતું.

(10:51 am IST)