Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

વિજય પ્લોટના દયાળભાઇએ બિમારીથી કંટાળી અગ્નિસ્નાન કર્યુઃ સારવાર હેઠળ

રાજકોટ તા. ૨૭: ગોંડલ રોડ પર વિજયપ્લોટ-૧૧માં રહેતાં દયાળભાઇ રામસિંગભાઇ વિસેન (ઉ.૫૮) નામના રજપૂત વૃધ્ધે ઘરે કેરોસીન છાંટી અગ્નિસ્નાન કરી લેતાં ગંભીર રીતે દાઝી જતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. એ-ડિવીઝન પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. દયાળભાઇ બે ભાઇ અને એક બહેનમાં મોટા છે. વર્ષોથી ટીબી તથા અન્ય બિમારી હોઇ તે કામધંધો પણ કરી શકતાં નહોતાં. બિમારીથી કંટાળીને આ પગલું ભર્યાનું પરિવારજનોએ કહ્યું હતું.

(11:46 am IST)