Gujarati News

Gujarati News

News of Sunday, 27th May 2018

જાગનાથ પ્લોટમાંથી નેપાળી સગીરાને અજાણ્યો શખ્સ ઉઠાવી ગયો

રાજકોટઃ જુના જાગનાથ શેરી નં. ૨ યાજ્ઞિક રોડ રામકૃષ્ણ પરમહંસજી આશ્રમ સામેની શેરીમાં આવેલા રાજેશ્વરી એપાર્ટમેન્ટમાં રહી ચોકીદારી કરતાં નેપાળી પુરણસિંગ ધનસિંગ સોની (ઉ.૩૫)ની સગીર વયની દિકરી ૨૨મીએ બપોરે ત્રણ વાગ્યે ઘરેથી નીકળ્યા બાદ ગુમ થતાં શોધખોળ બાદ પોલીસને જાણ કરતાં પ્ર.નગરના પી.એસ.આઇ. બી.એમ. કાતરીયાએ આઇપીસી ૩૬૩, ૩૬૬ મુજબ ગુનો નોંધ્યો છે. કોઇ અજાણ્યો શખ્સ લગ્નની લાલચે સગીરાને ભગાડી ગયાનું ફરિયાદમાં જણાવાયું છે.

(10:41 am IST)