Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

આઈ શ્રી ખોડીયાર મંદિર દ્વારા રવિવારે સર્વજ્ઞાતિય સમુહલગ્નઃ ૧૬ દીકરીઓના પ્રભુતામાં પગલા

કરીયાવરમાં ૨૦૦ વસ્તુઓ અપાશેઃ સિવિલના લાભાર્થે રકતદાન કેમ્પ પણ યોજાશે

રાજકોટ, તા.૨૭: આઈ શ્રી ખોડીયાર મંદિર, (૧૦- કેદારનાથ સોસાયટી, કોઠારીયા રોડ) રાજકોટ દ્વારા માતાજીના સાનિધ્યમાં ૧૬ દિકરોઓના વીસમાં સર્વજ્ઞાતિય સુમહ લગ્નમહોત્સવનું આયોજન કરેલ છે. તેમા નવવધુને ૨૦૦ થી વધારે કરીયાવરની ચીજવસ્તુઓ આપવામાં આવશે. આ આયોજન તા.૨૯ના રવિવારે બપોરે ૩ વાગ્યાથી રાખેલ છે. સાંજે ૪ વાગે તેમજ સાંજે ભોજનપ્રસાદ રાખવામાં આવેલ છે.

સાથોસાથ રાજકોટ સિવિલ હોસ્પીટલ બ્લડ બેંકના સહયોગથી રકતદાન કેમ્પનું પણ આયોજન કરેલ છે.

આયોજનને સફળ બનાવવા આઈ શ્રી ખોડિયાર મંદિરના સેવકગણ ભુવા પરસોતમભાઈ એન.દોંગા, પ્રતિપાલસિંહ ચુડાસમા, ઉકાભાઈ લાવડીયા, અશ્વિનભાઈ રામાણી, બટુકભાઈ મોણપરા, કિશોરભાઈ લીંબાસીયા, રમેશભાઈ વીરડિયા, મોહનભાઈ ગોહેલ, ગોબરભાઈ દોંગા, સુરેશભાઈ દોંગા, ચંદુભાઈ ચાંદીવાળા, વિશાલભાઈ કોઠારી, રમેશભાઈ દોંગા, ધીરૂભાઈ દોંગા, હેમંતભાઈ દોંગા, ગીરધરભાઈ રૈયાણી, નાથાભાઈ ટીંબડીયા, હિતેષભાઈ આસોદરીયા, દામજીભાઈ વેકરીયા વિ. જહેમત ઉઠાવી રહયા છે.

સમુહલગ્ન સ્થળઃ લકકીરાજ પાર્ટીપ્લોટ, ભાવનગર હાઈવે, આજીડેમથી આગળ માંડા ડુંગર પાસે, રાજકોટ વધુ વિગતો માટે મો.૯૮૨૪૨ ૮૩૧૮૪ ઉપર સંપર્ક કરી શકાય છે. (તસ્વીરઃ વિક્રમ ડાભી) (૩૦.૭)

(4:29 pm IST)