Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

આર્યવિદ્યાપીઠ સ્કુલના વિદ્યાર્થીઓનું પ્રેરકકાર્યઃ પોકેટમનીમાંથી બાલાશ્રમના બાળકોને સ્પોર્ટસ કીટ આપી

 રાજકોટઃ અહિના મવડી વિસ્તારમાં આવેલ આર્ય વિદ્યાપીઠમાં એકેડમીક વર્ષ દરમિયાન આ ખુબ જ ઉચ્ચકોટીનું પ્રશંસાને પાત્ર કાર્ય કરવામા આવેલુ છે. જેમા વિદ્યાર્થી દ્વારા પોતાના પોકેટ મનીમાંથી પૈસા બચાવીને બેંકમાં એક નવું ખાતું ખોલાવવામાં આવ્યું છે. જેમા દર મહિને રેગ્યુલર વિદ્યાર્થીઓ પોતાનું એકઠું કરેલું ફંડ જમા કરાવવામાં આવે છે.  અને આ એકઠી થયેલી રકમથી વિદ્યાર્થીઓ  દ્વારા કાઠીયાવાડ બાલાશ્રમના બાળકો  માટે વિવિધ સ્પોર્ટસની અલગ અલગ વસ્તુઓ લઇ અને આ વસ્તુઓ કાઠીયાવાડ બાલાશ્રમમાં આપવા જશે. (તસ્વીરમાં અકિલા કાર્યાલયની મુલાકાતે આવેલા આર્યવિદ્યાપીઠના  બાળકો અને સ્કુલના પ્રિન્સીપાલ શ્રી સુરજસર (મો.૯૭૩૭૭ ૨૦૦૦૩),  નજરે પડે છે. (તસ્વીરઃ વિક્રમ ડાભી) (૪૦.૮)

(4:28 pm IST)