Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

દિનેશ સેલડીયાનું વકતવ્યઃ નામ નોંધાવી દેવા

રવિવારે માત્ર જૈનો માટે માઇન્ડ પાવર અને વેલનેસ સેમીનારઃ નિઃશુલ્ક આયોજન

 રાજકોટ, તા.૨૭: જૈન સૌ પ્રથમવાર જૈન વેલનેસ ગૃપ દ્વારા ખાસ માઇન્ડ પાવર અને વેલનેસ સેમીનારનું આયોજન તા.૨૯ના રવિવારે સવારે ૯ થી ૧૨ અરવિંદભાઇ મણિયાર હોલ ખાતે કરાયું છે.  આજે લોકોનું ધ્યાન બીમારી પછીના ઇલાજ પર હોય છે. જયારે વેલનેસ એટલે કે ''સારો ખોરાક ખવાય પણ સારી  હોસ્પીટલે તો ન જ જવાય'' શારીરીક સ્વાસ્થ્ય માટે બીમારીના મુળ કારણોની સમજણ આપી અત્યારના ભયંકર કલર, કેમીકલ અને ચરબી યુકત ખાધખોરાકોના યુગમા નીરોગી રહી કુપોષણથી થતી વિવિધ બીમારીઓની સારવાર કઇ રીતે મેળવી આપણા સમાજ અને પરીવારને દવા વગર સ્વાસ્થ્યની સમજણ આપવા માટે માઇન્ડ પાવર અને વેલનેસના વકતા શ્રી  દીનેશભાઇ શેલડીયા દ્વારા માહિતી આપવામાં આવશે. નામ નોંધાવવા તેમજ વધુ માહિતી માટે તા.૨૯ને રવિવાર સમયઃ સવારે ૯ થી ૧૨, સ્થળઃ અરવિંદભાઇ મણિયાર હોલ જયુબેલીબાગ, રાજકોટ મીલન મહેતા, હિતેષ મણિયાર (મો. ૯૮૯૮૨ ૪૯૬૯૭), પરાગ પારેખ (મો.૯૮૨૫૫ ૧૧૦૪૬), અને કેતન સંઘવીના સંપર્ક કરવા યાદીમા જણાવાયું  છે.  (તસ્વીરઃ વિક્રમ ડાભી) (૪૦.૭)

(4:25 pm IST)