Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

પાંચમીએ મુખ્યમંત્રી રાજકોટમાં

કલેકટર તંત્ર ર૦૦ લોકોને સૂચિતની સનદ આપશેઃ RMC- PWD-RNBના કરોડોના લોકાર્પણો...

રાજકોટ તા. ર૭: આગામી તા. પ મી એ રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની એક વખત કરોડોના લોકર્પણોના

કાર્યક્રમો અર્થે રાજકોટ આવી  રહ્યાનું કલેકટર કચેરીના સુત્રોએ ઉમેર્યું હતું.

તેમણે ઉમેર્યું હતું કે, સંભવત પ મી એ મુખ્યમંત્રીનો કાર્યક્રમો રાજકોટ અર્થે ગોઠવાઇ રહ્યો છે, સમય-સ્થળ હવે ફાઇનલ થશે.

વિજયભાઇ રાજકોટ આવી રહ્યા હોય, કલેકટર તંત્ર ૧પ૦ થી ર૦૦ જેટલા સુચિત સોસાયટીના રહેવાસીઓને સનદ્દ આપવા અંગે તૈયારીઓ કરી રહ્યું છે.  દરમિયાન આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકા, પીડબલ્યુડી અને આર એન્ડ બીના પણ કરોડોના લોકાર્પણ કાર્યક્રમો અંગે તૈયારીઓ ચાલી રહ્યાનું સાધનો ઉમેરી રહ્યા છે.

 

(3:57 pm IST)