Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

લોકસાહિત્‍યકાર શાંતિભાઇ રાણીંગાનું સન્‍માન

રાજકોટઃ દીકરાનું ઘર વૃધ્‍ધાશ્રમ ઢોલેરા પ્રેરિત સાહિત્‍યક પ્રવૃતિ કરતી સંસ્‍થા સાહિત્‍યસેતુ રાજકોટ દ્વારા આકાશવાણી રાજકોટમાં ફરજ બજાવનાર મેઘાણી સાહિત્‍યના ઉપાસક અને ૩૦૦ જેટલી મેઘાણી કથા કરનાર લોકસાહિત્‍યનું રખોપુ કરનારા જાણીતા લોકગાયક શાંતિભાઇ રાણીંગાને ગરીમાપુર્ણ સન્‍માન કાર્યક્રમ તેઓના નિવાસસ્‍થાને લોકસાહિત્‍ય પ્રેમીઓની ઉપસ્‍થિતિમાં યોજાઇ ગયો

આ પ્રસંગે જાણીતા કલાકાર ધીરૂભાઇ સરવૈયા, લોકગાયક નિમેશ પંડયા, જાણીતા લેખક રાજુલ દવે, કવિ બારીજ મુહાર, દુરદર્શનના નિવૃત અધિકારી કરણસિંહ સોલંકીએ શાંતિભાઇ સાથેના સંસ્‍મરણો વાગોળ્‍યા હતા.

ઉદ્યોગપતિ પ્રતાપભાઇ પટેલ અને થેલેસેમીયા જનજાગૃતિ અભિયાન સમિતિના હસુભાઇ રાચ્‍છના હસ્‍તે કુમકુમ તિલક કરી ખેસ પહેરાવી, પુષ્‍પગુચ્‍છ, શ્રીફળ સાકારનો પડો, પુસ્‍તક, વિવેકાનંદજીનો ફોટો સન્‍માનપત્ર આપી તેમજ શાલ ઓઢાડીને અભિવાદન કરેલ

સ્‍વાગત જનાર્દન આચાર્યએ કરેલ આભારવિધિ નૈષધભાઇ વોરાએ કરી હતી. કાર્યક્રમનું સંચાલન અનુપમ દોશીએ કરેલ સમગ્ર અયોજનની સફળતા માટે હસુભાઇ શાહ, પરિમલભાઇ જોષી, દિનેશભાઇ ગોવાણી, જયેન્‍દ્રભાઇ મહેતા વિપુલભાઇ ભટ્ટ, મહેશ વ્‍યાસ, અનિલ ધોળકીયા, મહેશ જીવરાજાની, ગુણેન્‍દ્ર ભાડેસીયા કાર્યરત રહેલ

(4:47 pm IST)