Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

રણછોડદાસજીબાપુ હોસ્‍પિટલમાં ગુરૂવારે વિનામૂલ્‍યે નેત્રયજ્ઞ

બચુભાઇ અને શાંતાબેન માણેકના સ્‍મરણાર્થે

રાજકોટઃ શહેરના કુવાડવા રોડ સદગુરૂ સદનની બાજુમાં આવેલ પૂજય રણછોડદાસજીબાપુ ચેરીટેબલ ટ્રસ્‍ટ હોસ્‍પીટલ ખાતે આગામી તા. ૩૦ને રામનવમીના દિવસે વિનામુલ્‍યે સદગરૂ સુપર નેત્ર યજ્ઞ સ્‍વ. બચુભાઇ ઓધવજી માણેક, સ્‍વ. શાંતાબેન બચુભાઇ માણેકનાં સ્‍મરણાર્થે માણેક પરીવારનાં સંયુકત  ઉપક્રમે કરાયુ છે.

શહેરના કંદોઇ બજારમાં ૬૦ વર્ષ જુની પેઢી ઠકકર બચુભાઇ ઓધવજી માણેક દ્વારા રાજકોટ આયોજીત વિનામ્‌લ્‍ય સદગુરુ સુપર મેગા નેત્ર યજ્ઞમાં અત્‍યાધુનિક સાધનો દ્વારા આંખના મોતીયાના ઓપરેશનમાં કરી સારામાં સારા લેન્‍સ નેત્ર મણી બેસાડી આપવામાં આવશે. તેમ અખબારી યાદી જણાવે છે.

(4:32 pm IST)