Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

કૈલાસ પાર્કમાં દિવા કરતી વખતે દાઝતાં જીજ્ઞાબેન કોરડીયાનું મોત

રાજકોટ તા. ૨૭: મવડી રીંગ રોડ પર સંસ્કાર સીટી પાછળ આવેલા કૈલાસ પાર્ક ગણેશ એપાર્ટમેન્ટમાં રહેતાં જીજ્ઞાબેન કમલેશભાઇ કોરડીયા (ઉ.વ.૪૫) નામના મહિલાનું દિવા કરતી વખતે દાઝી જવાથી મોત નિપજ્યું છે.

જીજ્ઞાબેન તા. ૨૦ના સાંજે ઘરે દિવા કરતાં હતાં ત્યારે દાઝી જતાં સારવાર હેઠળ હતાં. તેમનું મૃત્યુ નિપજતાં હોસ્પિટલ મારફત જાણ થતાં તાલુકા પોલીસ મથકના હેડકોન્સ. હરદેવસિંહે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતકને બે સંતાન છે. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

નવાગામના રમઝાનભાઇ પઠાણનું બેભાન હાલતમાં મોત

નવાગામ ટ્રાન્સપોર્ટ નગર પાસે રહેતાં રમઝાનભાઇ બરકતભાઇ પઠાણ (ઉ.વ.૪૨)ને પેરેલિસીસ હોઇ સારવાર માટે દાખલ કરાયા હતાં. તેમનું મોત નિપજતાં કુવાડવા રોડ પોલીસ મથકના એએસઆઇ ફતેહસિંહ અને મહેન્દ્રભાઇ ગોવાણીએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક ટ્રાન્સપોર્ટ નગરમાં રખડતું જીવન જીવતાં હતાં અને ત્યાં જ જમીને સુઇ જતાં હતાં.

વિજયપ્લોટના તુલસીદાસનું બેભાન હાલતમાં મોત

વિજયપ્લોટ-૫ મેલડી માતાના મંદિર પાસે રહેતાં તુલસીદાસ ભગવાનજીભાઇ  (ઉ.વ.૮૦) ઘરે બેભાન થઇ જતાં પડોશીએ જાણ કરતાં ૧૦૮ પહોંચી હતી. ઇએમટી પિયુષભાઇ ધોળકીયાએ તેમને મૃત જાહેર કરતાં એ-ડિવીઝનના એસ. ડી. પાદરીયાએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક એકલવાયુ જીવન જીવતાં હતાં.

(1:04 pm IST)