Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

તાલાલાના રામપરામાં અગાસી પરથી પડી જતાં રમાબેન ત્રાડાનું મોત

ચણા સુકવવા ગયા ત્યારે કપડામાં પગ ફસાતાં ગબડી પડ્યા'તાઃ રાજકોટમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૨૭: તાલાલા ગીરના રામપરામાં રહેતાં રમાબેન હસમુખભાઇ ત્રાડા (ઉ.વ.૫૨) નામના પટેલ મહિલાનું અગાસી પરથી અકસ્માતે પડી જતાં ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું છે

રમાબેન ૨૩/૩ના સવારે ઘરની અગાસીએ ચણા સુકવવા ગયા હતાં. એ વખતે પગમાં નીચે પાથરેલુ કપડુ-પાથરણું ફસાઇ જતાં પડી દાદરા પાસેથી નીચે ગબડી પડતાં માથામાં ગંભીર ઇજા થઇ હતી. તેમને સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં. અહિ આજે સવારે દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. હોસ્પિટલ ચોકીના રણછોડભાઇ સાંબડે કાગળો કરી તાલાલા પોલીસને જાણ કરી હતી.

મૃત્યુ પામનારને સંતાનમાં એક પુત્ર છે. પતિ નિવૃત જીવન જીવે છે.

(11:58 am IST)