Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

અજીતભાઇ લોખીલની ટીમ દ્વારા કુવાડવા રોડ પર સેવા કાર્ય

રાજકોટ : કોરોનાના કારણે લોકડાઉનની સ્થિતી વચ્ચે ખાસ કરીને બહારથી રાજકોટ પેટીયુ રળવા આવેલા મજુર વર્ગને વતન જવા ચાલીને નીકળવુ પડયુ છે. ત્યારે આવા લોકોને ભોજન કરાવવા લાઇફ કેર ફાઉન્ડેશનના અજીતભાઇ લોખીલ અને તેમની ટીમે સેવા કાર્ય હાથ ધર્યુ હતુ. કુવાડવા હાઇવે પર પો.સ.ઇન્સ. એમ. એસ. અંસારી, પોલીસ કોન્સ્ટેબલ અજયભાઇ શુકલા, અનિલસિંહ ગોહિલ તથા મહમ્મદ અઝહરૂદીન બુખારીના માર્ગદર્શન હેઠળ સરકારી ગાઇડ લાઇન મુજબ સોશ્યલ ડીસ્ટન્સને અનુસરીને આ સેવા કાર્ય હાથ ધરાયુ હતુ. અજીતભાઇ લોખીલના નેતૃત્વ હેઠળ ઇર્શાદભાઇ દલ, હસમુખભાઇ સંચાણીયા, જય સાપરીયા, વિશાલ સંચાણીયા, અંકિત સંચાણીયા, પાર્થ સંચાણીયા, દુર્ગેશ રાણપરા તેમજ એસ.ઓ.જી. પોલીસ સ્ટાફ પણ સાથે રહ્યો હતો.

(3:51 pm IST)