Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

પાણીને લગતી ફરીયાદ હોય તો ફોન કરોઃ કુંવરજીભાઇ

રાજકોટઃ રાજ્યમાં પાણી પુરવઠા બોર્ડ દ્વારા ગામડાઓ સુધી પાણી વિતરણ વ્યવસ્થા ગોઠવાયેલ છે.પાણી વિતરણને આવશ્યક સેવા ગણી હાલની પરિસ્થિતિમાં સઘળી વ્યવસ્થા યથાવત જાળવી રાખવામાં આવી છે. પાણી પુરવઠા બોર્ડના કાર્યક્ષેત્રના કોઇપણ વિસ્તારના લોકોને પાણી ન મળવું,ઓછુ મળવું કે અનિયમિત મળવા જેવી કોઇ ફરીયાદ હોય તો રાજ્ય કક્ષાના હેલ્પલાઇન નંબર ૧૯૧૬ ઉપર અથવા ત્યાંના પ્રતિસાદથી સંતોષ ન થાય તો પોતાને મો. નં. ૯૮૨૪૪ ૫૧૩૨૧ ઉપર સંપર્ક  કરવા પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ જનતા જોગ અપીલ કરી છે.

(1:13 pm IST)