Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

રાજકોટથી વતન તરફ જતા શ્રમિકોને કુવાડવા રોડ હાઇવે પર સામાજિક અગ્રણીઓ સાથે SOG પોલીસે કરી ભોજન વ્યવસ્થા

રાજકોટ : લોકડાઉનના કારણે રાજકોટથી બહાર ગામ તેમના ધરે પરત ચાલીને જઈ રહેલા મજુરોને કુવાડવા રોડ હાઇવે ખાતે કોરોના વાયરશ અંગેનુ જરૂરી માગૅદશૅન આપી તથા એકબીજાથી અંતર જાળવવા સુચના આપી હતી સાથે સામાજીક અગ્રણી અજીતભાઈ લોખીલ, હસમુખભાઈ સંચાણિયા,જય સાપરિયા,વિશાલ સંચાણિયા,અંકિત સંચાણિયા,પાર્થ સંચાણિયા, દુર્ગેશ રાણપરા,ઈરશાદભાઇ દલ સાથે એસ.ઓ.જી પોલીસ સ્ટાફના પો.સ.ઈ.એમ.એસ.અંસારી તથા પોલીસ કોન્સ્ટેબલ અજયભાઈ શુકલા, અનીલસિહ ગોહિલ તથા મહમ્મદ અઝહરુદીન બુખારીનાઓએ સાથે મળીને ભૂખ્યા થયેલ લોકો માટે જમવાની વ્યવસ્થા કરેલ.જે બાબતે લોકોએ આભાર ની લાગણી વ્યક્ત કરેલ હતી

 

(12:07 am IST)