Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

લક્ષ્મીનગરમાં ટ્રાન્સપોર્ટ સંચાલકના પત્નિ ભારતીબા ચોૈહાણનો ફાંસો ખાઇ આપઘાત

ગુર્જર રાજપૂત મહિલાના આપઘાતથી પુત્ર-પુત્રી મા વિહોણા થતાં પરિવારમાં શોક

રાજકોટ તા. ૨૭: લક્ષ્મીનગરમાં રહેતાં ટ્રાન્સ્પોર્ટ સંચાલક ગુર્જર રાજપૂત યુવાનના પત્નિએ રાત્રે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે.

જાણવા મળ્યા મુજબ લક્ષ્મીનગર શેરી નં. ૨માં રહેતાં ભકિતબા (ભારતીબા) રાજુભાઇ ચોૈહાણ (ઉ.૪૨) નામના મહિલાએ રાત્રે ઘરે ગળાફાંસો ખાઇ લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. પરંતુ અહિ તબિબે નિષ્પ્રાણ જાહેર કરતાં સ્વજનોમાં કલ્પાંત સર્જાયો હતો. હોસ્પિટલ ચોકીના હેડકોન્સ. મહેન્દ્રભાઇ પરમાર અને કોન્સ. દિપસિંહ ચોૈહાણે માલવીયાનગર પોલીસને જાણ કરતાં પીએસઆઇ જે. કે. પાંડાવદરા અને પ્રશાંતસિંહએ જરૂરી કાર્યવાહી કરી હતી.

આપઘાત કરનાર ભકિતબાના પતિ રાજુભાઇને ગ્રીનલેન્ડ ચોકડી પાસે ટ્રાન્સપોર્ટનો વ્યવસાય છે. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે જે મા વિહોણા થઇ જતાં અરેરાટી વ્યાપી ગઇ છે. પોલીસે આપઘાતનું કારણ જાણવા તપાસ યથાવત રાખી છે.

(11:45 am IST)