Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

આદિત્યપાર્કમાં ૧૫ વર્ષના હરદિપસિંહ જાડેજાનું બેભાન હાતલમાં મૃત્યુ થયું

ત્રણ બહેનના એક જ ભાઇના મૃત્યુથી પરિવારમાં શોક

રાજકોટ તા. ૨૭: માયાણીનગર પાસે ખીજડાવાળા રોડ પર બાલાજી સદન સામે આદિત્યપાર્ક-૨માં રહેતાં કૃષ્ણસિંહ જાડેજાના દિકરા હરદિપસિંહ (ઉ.૧૫)ને બાળપણથી જ ફેફસા કામ ન કરવા સહિતની બિમારી હોઇ તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ ત્યાંથી બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ. અહિ રાત્રીના તેનું મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના મહેન્દ્રભાઇ પરમાર અને દિપસિંહ ચોૈહાણે માલવીયાનગર પોલીસને જાણ કરી હતી. હરદિપસિંહ ત્રણ બહેનના એકના એક ભાઇ હતાં. બનાવથી સ્વજનોમાં શોક છવાઇ ગયો હતો.

(11:42 am IST)