Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

મનપાના પૂર્વ વિપક્ષી નેતા અને ફાયર બ્રિગેડનું નાનુ પરંતુ સંવેદનશીલ રેસ્કયુઃ પારેવાને નવજીવન

રાજકોટઃ. એક સામાન્ય કબૂતર માટે પણ સંવેદના હોવી એ મનુષ્યતાનું લક્ષણ છે. આપણે મોટા મોટા કામમાં આવી નાની વાત ચૂકી જઈએ છીએ પણ વ્યસ્તતાઓ વચ્ચે પણ જીવ માત્ર પ્રત્યેની સંવેદના જીવતી રહે એ જરૂરી છે. આજે સવારે એવી એક ઘટના બની હતી. કાલાવડ રોડ ખાતે આવેલા માઈલ સ્ટોન એપાર્ટમેન્ટના પરિસરમાં વૃક્ષમાં ઉંચે એક કબૂતર ફસાયુ હતું. તરફડીયા મારતુ હતુ ત્યારે આ એપાર્ટમેન્ટમાં રહેતા નરેન્દ્રસિંહ જાડેજાનું ધ્યાન ગયુ. ગૌ સેવા જેમના જીવનમાં સૌથી મહત્વનુ કાર્ય છે એવા સહકારી અગ્રણી અને પૂર્વ વિપક્ષી નેતા નરેન્દ્રસિંહ જાડેજાએ આ કબૂતરને એમણે જોયું કે તરત ફાયર બ્રિગેડને ફોન કર્યો હતો. ફાયર બ્રિગેડ પણ આ કામને નાનુ ન ગણી ને ઘટના સ્થળે પહોંચ્યુ હતું અને સિફતપૂર્વક કબૂતરને ઉતારી બચાવી લીધુ હતું. એક જીવ બચ્યો એ તો છે જ, પણ પર્યાવરણની પણ આ રીતે સેવા થઈ હતી તે વખતની તસ્વીર.

(3:53 pm IST)