Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

રવિશંકર મહારાજની ૧૩૬મી જન્મજયંતિ નિમિતે મ્યુ. કોર્પોરેશનના પદાધિકારીઓ દ્વારા પુષ્પાંજલિ

રાજકોટ : મહાનગરપાલિકા દ્વારા ગઇકાલે તા. ૨૫ ફેબ્રુઆરીના રોજ રવિશંકર મહારાજની ૧૩૬મી જન્મજયંતી નિમિતે તેઓશ્રીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સભ્ય મુકેશભાઈ મહેતા, કિરણબેન માંકડિયા તથા આ વિસ્તારના અગ્રણીઓ મહેશભાઈ પરમાર, ગજેન્દ્રસિંહ ઝાલા, વોર્ડ ઓફિસર હેમાંન્દ્રીબા ઝાલા, આસી.મેનેજર અમિત ચોલેરા, વોર્ડના એસ.આઈ. જે.કે.વાજા વિગેરે ઉપસ્થિત રહેલ હતા.

(3:45 pm IST)