Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

સદ્દગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞ

માં કૃપા ફાઉન્ડેશન સ્વ. પ્રભુદાસભાઇ રાજા, સ્વ. ચન્દ્રકાન્ત ડી. રાયઠઠ્ઠા, સ્વ. ભારતીબેન જે. દલાલની પૂણ્ય સ્મૃતિમાં હસ્તે ચંપાબેન રાજા, નિતિનભાઇ રાજા, નિશાબેન રાજા, યુ. કે. તેમજ શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટના સંયુકત ઉપક્રમે શહેર અને જિલ્લાને આંખના મોતિયા વિહીન કરવાના અશ્વમેઘ સંકલપ પૈકી ૧૭ મો સદ્દગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞ તાજેતરમાં યોજાયો હતો. જેમાં ૩૬૫ દર્દી ભગવાનને ગુરૂદ્રષ્ટિ પ્રદાન થઇ હતી. દરેક દર્દીઓને રહેવા જમવા, ચા-પાણી, નાસ્તો, શુધ્ધ ઘી નો શીરો, દવા, ટીપા, ચશ્મા તથા નેત્રમણી સાથે ઓપરેશન વિનામુલ્યે કરી અપાયા હતા. ઓપરેશન થયેલ દરેક દર્દીઓને ધાબળાનું વિતરણ કરાયુ હતુ.

(3:45 pm IST)