Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

ભકિતનગર સ્ટેશન પ્લોટમાં ભુગર્ભ ગટરના ગંધાતા પાણી ઘુઘવ્યા

રાજકોટ : અહીંના ભકિતનગર સ્ટેશન પ્લોટ, ગોડાઉન રોડ શેરી નં. ૧૫ ના ખૂણે ભવાની ઇલેકટ્રીકની બાજુમાં છેલ્લા પંદરેક દિવસથી ભુગર્ભ ગટરના પાણી છલીને માર્ગો ઉપર વહી રહ્યા છે. છતા તંત્ર ધ્યાન આપતુ નથી. આસપાસના લોકોએ મહાનગરપાલીકાને ફરીયાદો કરી છે. પણ આજની સ્થિતીએ ગંદા પાણીની રેલમછેલ યથાવત છે. એક તરફ રોગચાળો માથુ ઉંચકી રહ્યો છે ત્યારે આ વિસ્તારના લોકોની યાતના સમજી તંત્રવાહકો વહેલાસર સમસ્યાનો હલ લાવે તેવી આ વિસ્તારના લોકોએ માંગણી ઉઠાવી છે.

(3:44 pm IST)