Gujarati News

Gujarati News

News of Saturday, 27th January 2018

રાજકોટ : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા કાલે રવીવારે ઘોષબેન્ડ સંચાલન

રાજકોટ : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં ઘોષબેન્ડને શાસ્ત્રીય પદ્ધતિથી શીખવું અને તેના સતત અભ્યાસને વિશેષ  મહત્વ આપવામાં આવતુ હોય છે. જેના ભાગરૂપે રાજકોટ વિભાગ દ્વારા કાલે રવવારે ર૮ના રવિવારે સાંજે ૪-૧પ કલાકકે આશરે ૧રપ જેટલા પૂર્ણ ગણવેશધારી સ્વયંસેવકો વૈવિધ્યસભર વાઘો જેમ કે પણવ, આનક દળ, વંશી દળ, બ્યુગલ દળ, ત્રિભુજ તેમજ ઝલ્લરી સાથે સંગીતની વિવિધ રચનાઓ વગાડતા રાજમાર્ગો પર પ્રસ્થાન કરશે.

સ્થળ : વિષ્ણુવિહાર સોસાયટીનું મેદાન, ડોલરરાય માંકડ રોડ, કાલાવડ રોડથી યુનિ. જતાં રસ્તા ઉપરથી પ્રસ્થાન પામી પુષ્કરધામ સોસાયટી થઇ, એસ.એન. કે. સ્કુલના પાછળના ચોકથી જયોતિનગર ચોક થઇ વ્રજ પરિક્રમા એપા.થી હાઉસિંગ બોર્ડ, સદ્્ગુરૂનગર થઇ વિષ્ણુવિહાર સોસાયટીના મેદાનમાં પરત આવશે. ઘોષ પ્રમુખ શ્રી હિરેનભાઇ ચીકાણી, શ્રી રામલાલભાઇ શિંગાળા, શ્રી રાજુભાઇ પરમાર તથા શ્રી દિપકભાઇ ગમઢા અભ્યાસ અંગે સંપૂર્ણ દેખરેખ રાખી રહ્નાનું રાજકોટ મહાનગર પ્રચાર પ્રમુખ શ્રી કમલેશ સોમપુરા (૯રર૭પ ૦૩ર૬૬) એ જણાવ્યું છે.

 

(1:05 pm IST)