Gujarati News

Gujarati News

News of Thursday, 26th December 2019

આઈશ્રી સોનલમાની જન્મજયંતિએ કાલે સંતવાણી : શનિવારે રાસગરબા - મહાઆરતી

રાજકોટ, તા. ૨૬ : આઈ શ્રી સોનલ માની જન્મજયંતિ નિમિતે સંતવાણી, માતાજીના રાસગરબા, મહાઆરતી - મહાપ્રસાદના કાર્યક્રમો યોજાયા છે.

કોઠારીયા રોડ ઉપર ગરબી ચોક વિનોદનગરમાં આવેલ સુપ્રસિદ્ધ એવા શ્રી જડેશ્વર મહાદેવ મંદિરે કાલે તા.૨૭ના શુક્રવારે રાત્રીના ૯ કલાકે સંતવાણીમાં જીજ્ઞેશ બારોટ, કુલદીપભાઈ ગઢવી અને ગોવિંદભાઈ ગઢવી જમાવટ કરશે. જયારે તા.૨૮ના શનિવારે બપોરે ૩ વાગ્યે માતાજીના રાસ ગરબા રજૂ થશે. સાંજે ૬:૩૦ કલાકે મહાઆરતી બાદ મહાપ્રસાદ યોજાયેલ છે. આયોજનને સફળ બનાવવા ભગવાનભાઇ, દિલીપભાઈ તળાવીયા, નરેશભાઈ ગઢવી, નિલેશભાઈ મારૂ, લાલાભાઈ ગઢવી, હસુભાઈ પ્રજાપતિ, ભાવેશભાઈ ભાંસળીયા, અલ્પેશભાઇ પૂજારા અને અમિતભાઈ ગઢવી જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:58 pm IST)