Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

ચેક રીટર્ન કેસઃ નાગરીક બેંકના ડિફોલ્ટરો રમેશ ડાંગીયા-રવિ ડાંગીયાને ૧-૧ વર્ષની સજા

રાજકોટઃ તા.૨૬, બેંકમાંથી લોન લઇ ભરપાઇ ન કરનાર ડિફોલ્ટરો માટે ફરી એકવાર સજા સાથે દાખલારૂપ ચુકાદો રાજકોટ કોર્ટે આપ્યો છે.

 વિગતથી જોઈએ તો, રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ની ડો. યાજ્ઞિક રોડ શાખાના ખાતેદારો રમેશભાઇ પરસોત્તમભાઇ ડાંગીયા અને રવિભાઇ પરસોત્તમભાઇ ડાંગીયાને ધિરાણ અપાયેલ હતું. થોડા સમય બાદ આ બંને ખાતા ડિફોલ્ટર (એનપીએ) થયા હતા. ખાતેદારોએ આપેલ વસુલી રકમનો ચેક પરત ફ્યો હતો.

 જેથી બેંકે તા. ૨૪/૫/૨૦૧૮નાં રમેશભાઇ પરસોત્તમભાઇ ડાંગીયા અને રવિભાઇ પરસોત્તમભાઇ ડાંગીયા સામે રાજકોટની નેગોશીયેલ કોર્ટમાં ચેક રિર્ટનનો કેસ દાખલ ક્યો હતો. બંને એ મૂળ ચેક રિટર્નની રકમ જેટલી રકમ જમા કરાવી ન હતી.

 આથી, એડી. સીનીયર સિવીલ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ નામદારની કોર્ટે ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રમેન્ટ એકટની કલમ-૧૩૮ હેઠળ રમેશભાઇ પરસોત્તમભાઇ ડાંગીયાને એક વર્ષની જેલની સજા અને ચેક રિટર્નના વળતરરૂપે રૂ. ૧,૨૮,૧૫૨- અને રવિભાઇ પરસોત્તમભાઇ ડાંગીયાને એક વર્ષની સજા અને ચેક રિટર્નના વળતરરૂપે રૂ. ૧,૨૧,૯૬૬/-ની રકમ ચુકવવી. જો રમેશભાઇ પરસોત્તમભાઇ ડાંગીયા અને રવિભાઇ પરસોત્તમભાઇ ડાંગીયા, બંને ખાતેદારો ઉપરોકત રકમ દિવસ-૩૦માં ન ચુકવે તો બીજા ૬ માસની વધારાની કેદની સજા ફરમાવી હતી.

 ચેક રિટર્નનાં કેસની આ કામગીરીમાં બેંક વતી વિદ્વાન એડવોકેટશ્રી નીલભાઇ પુજારા, ફરિયાદી ભાવિનભાઇ વેકરીયા હતા.

 ચેક રિર્ટનનાં કેસમાં એક વર્ષની જેલની સજા અને વળતરનો ચુકાદો આવતાં બેંકનાં અન્ય બાકીદારોમાં ફફડાટ અને ગભરાટ ફેલાઇ ગયો છે.

(2:48 pm IST)