Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

શેઠનગર નજીક નંદનવન સોસાયટીમાં અશ્વિનીબેનનો ગળાફાંસો ખાઇ આપઘાત

કલેશ થતાં પગલુ ભર્યાની શકયતાઃ ત્રણ વર્ષ પહેલા લગ્ન થયા'તા

રાજકોટ તા. ૨૫: માધાપર ચોકડી પાસે શેઠનગર નજીક આવેલી નંદનવન સોસાયટીમાં રહેતી અશ્વિનીબેન વિશાલભાઇ વાઘ (ઉ.વ.૨૩) નામની પરિણીતાએ પંખામાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

બનાવની જાણ ૧૦૮ મારફત થતાં ગાંધીગ્રામ પોલીસે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડવા કાર્યવાહી કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યા મુજબ આપઘાત કરનાર અશ્વિનીબેન મુળ મહારાષ્ટ્રના હતાં. તેમના પતિ વિશાલભાઇ ખાનગી નોકરી કરે છે. ત્રણ વર્ષ પહેલા લગ્ન થયા હતાં. ઘરમાં કોઇ પતિ-પત્નિ વચ્ચે કલેશ થતાં માઠુ લાગી જતાં તેણીએ આ પગલુ ભર્યાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. વધુ તપાસ પીએસઆઇ એચ. જે. બરવાડીયા તથા લક્ષમણભાઇ વધુ તપાસ કરે છે.

(3:25 pm IST)