Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

જાણિતા વેપારી મુકેશભાઈ લાખાણીનો કોરોનાએ ભોગ લીધોઃ ઘેરા શોકની લાગણી

ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન દુઃખદ નિધનઃ પરિવારના ચારેય સભ્યો પણ કોરોન્ટાઈનઃ આવતીકાલે શુક્રવારે સાંજે ૪ થી ૬ ટેલીફોનિક બેસણું

રાજકોટ,તા.૨૬: રાજકોટ-સૌરાષ્ટ્રના જાણીતા બિલ્ડર હરીશભાઇ લાખાણીના ભાઈ અને જાણીતા વેપારી મુકેશભાઈ લાખાણીનો કોરોનાએ ભોગ લીધો છે. તેમના પરિવારના અન્ય ચારેય સભ્યો કોરોનાગ્રસ્ત થયા હોય હોમ કોરન્ટાઇન થયા છે. સારવાર દરમિયાન ખાનગી  હોસ્પિટલમાં મુકેશભાઈનું  અવસાન થતાં ઘેરા શોકની લાગણી છવાઈ છે.

તે મુકેશભાઈ જયંતીલાલ લાખાણી તે હરીશ લાખાણીના નાનાભાઈ તથા હર્ષાબેન મુકેશભાઈ લાખાણીના પતિ, તેમજ ચિંતન અને સન્નીના પિતા તથા ડોલી ચિંતન લાખાણીના સસરા તેમજ પ્રભાબેન જયંતિલાલ લાખાણીના પુત્ર તથા વર્ષાબેન રાજેશકુમાર કોટેચાના ભાઈ તા.૨૫ના શ્રીજીચરણ પામેલ છે. ચિંતન ૮૧૪૦૭ ૭૭૭૯૭, સન્ની ૯૪૦૮૬ ૬૫૧૨૩

(11:40 am IST)