Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

રાજકોટ રેલમંડળની ૭૦મી વર્ષગાંઠ નિમિત્તે ઉદ્દેશીકા વાંચી દૃઢ સંકલ્પ લેતા કર્મચારીઓ

રાજકોટ : પશ્ચિમ રેલ્વેના રાજકોટ રેલમંડળ દ્વારા સંવિધાન દિવસની ૭૦મી વર્ષગાંઠના ઉપક્રમે રાજકોટ રેલમંડળના પ્રબંધક પરમેશ્વર કુંકવાલ દ્વારા રાજકોટની ડીઆરએમ ઓફીસના પરિસરમાં મોટી સંખ્યામાં અધિકારીઓ તથા કર્મચારીઓને ઉદ્ેશિકાનું વાંચન કરાવી રાષ્ટ્રની અને અખંડતા વધારવા માટે દૃઢ સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. આ પરના કાર્યક્રમ રાજકોટ, જામનગર, સરેન્દ્રનગર તથા દ્વારકા રેલવે સ્ટેશનો ખાતે પણ યોજવામાં આવ્યા હતા. મુસાફરો અને રેલવેના કર્મચારીઓમાં સંવિધાન મામલે જાગૃકતા લાવવા માટે ડીઆરએમ ઓફીસ, સ્ટેશનો પર પોસ્ટર-બેનરો લગાવાશે. આ કાર્યક્રમમાં રેલવે મંડળના પ્રબંધક ગોવિંદપ્રસાદ સૈની, કમલેશકુમાર ભટ્ટ, જુદા જુદા વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

(4:15 pm IST)