Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

કલેકટર કચેરીમાં બંધારણના આમુખનું વાંચનઃ કલેકટરના અધ્યક્ષ પદે તમામે શપથ લીધાઃ આજથી ખાસ કેમ્પેઇન

રાજકોટ ,તા. ૨૬ :આજ રોજ ભારતીય બંધારણને ૭૦ વર્ષ પુરા થયા છે ત્યારે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ તા. ૨૬ નવેમ્બર ને બંધારણ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. જેના ભાગરૂપે રાજકોટ કલેકટર કચેરી ખાતે કલેકટર શ્રી રેમ્યા મોહનની અધ્યક્ષતામાં બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે અધિક નિવાસી કલેકટર શ્રી પરિમલ પંડ્યા, નાયબ ચૂંટણી અધિકારીશ્રી એન. આર. ધાધલ સહિત તમામ વિભાગોના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ જોડાયા હતા, અને શપથ લીધા હતા.

અત્રે ઉલ્લેખનિય છે કે, ભારતીય બંધારણને તા. ૨૬ નવેમ્બર ૧૯૪૯ના રોજ ભારતીય બંધારણ સભા દ્વારા સ્વિકારવામાં આવ્યું હતું, જેના અધ્યક્ષ ડો. બાબા સાહેબ આંબેડકર હતા. ભારતનું બંધારણ દ્યડવામાં ડો. બાબા સાહેબનું મહત્વનું પ્રદાન રહ્યું છે. ભારતનું બંધારણ વિશ્વના તમામ લોકતાંત્રિક દેશોના બંધારણ કરતા સૌથી મોટું અને લિખિત બંધારણ છે. ભારતીય બંધારણમાં ભારતના લોકો, સાર્વભૌમિકતા, સમાજવાદી, ધર્મનિરપેક્ષ, લોકતાંત્રીક, ગણતંત્ર, ન્યાાય, સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વ, બિનસાંપ્રદાયિકતા, અખંડિતતાનો જેવા મહત્વની બાબતોનો સમાવેશ થાય છે. આમુખને ભારતીય બંધારણનું પરિચય પત્ર ગણવામાં આવે છે. આમુખ સર બી.એન.રાવે તૈયાર કર્યું હતું. આમુખ તથા બંધારણના મુળ પાનાઓની ડિઝાઈન વિખ્યાત ચિત્રકાર શ્રી રામમનોહર સિન્હા દ્વારા બનાવવામાં આવી હતી. આમુખનું સુલેખન પ્રેમબિહારી રાયજાદાએ કર્યું હતું.

ચાલુ વર્ષે બંધારણીય દિવસની ઉજવણીના ભાગરૂપે કેન્દ્ર સરકાર દ્વારા ઉજવણી સંદર્ભે બંધારણ અને મૂળભુત ફરજો વિષય પર તા. ૨૬/૧૧/૧૯ થી તા. ૧૪/૪/૨૦૨૦ (ડો. બી. આર. આંબેડકર જન્મ જયંતિ) દરમિયાન કેમ્પેઇન કરવામાં આવશે. પ્રજાજનોમાં બંધારણીય ફરજો વિશે જાગૃતિ કેળવાય અને સરકારશ્રીની કલ્યાણકારી વિવિધ યોજનાઓ વિશે પ્રજાજનો માહિતગાર થાય તે માટે આ કેમ્પેઇન અંતર્ગત કામગીરી કરવામાં આવી રહી છે.

(3:56 pm IST)