Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

આમ્રપાલી પાસે વૃદ્ધાની હત્યા અને લૂંટ ચલાવવાના ગુન્હામાં યુવક - યુવતીને તકસીરવાન ઠેરવતી કોર્ટ

એકલવાયુ જીવન જીવતા વૃદ્ધાને સુરેન્દ્રનગરના નિલેશ અને સબાનાએ છરીના ઘા ઝીંકી પતાવી દીધા હતા : આ ગુન્હામાં આરોપીઓને આજીવન કેદ અને જન્મટીપની સજાની જોગવાઈ

રાજકોટ, તા. ૨૬ : અત્રેના આમ્રપાલી ફાટક પાસે પંચરત્ન એપાર્ટમેન્ટમાં રહેતા અને એકલવાયુ જીવન જીવતા વૃદ્ધાની છરીના ઘા ઝીંકી હત્યા કરી રૂ.૫૦ હજારના ઘરેણાની લૂંટ કરવાના ગુન્હામાં પકડાયેલ. સુરેન્દ્રનગર માર્કેટ યાર્ડ પાસે રહેતા મિલય ઉર્ફે નિલેશ નવીનચંદ્ર મહેતા અને શબાના ઉર્ફે સબ્બુ અલ્લારખા સામેનો કેસ ચાલી જતાં એડીશ્નલ સેશન્સ જજ શ્રી પવારે આ બંને આરોપીઓને આ લખાય છે ત્યારે તકસીરવાન ઠેરવ્યા છે અને સજાનો ચુકાદો હવે પછી આપવામાં આવનાર છે.

આ ગુન્હામાં આજીવન કેદ તથા જન્મટીપની જોગવાઈ છે. સરકાર તરફે એપીપી સમીર ખીરા આ કેસમાં રોકાયા હતા.

(4:07 pm IST)