Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

બી.આર.ટી.એસ. બસ સેવા અનિયમિત થતા દેકારો

છેલ્લા ૧પ દિવસથી ગોંડલ ચોકડી નાના-મૌવા વચ્ચેનાં બસ સ્ટોપમાં અર્ધાથી ૧ કલાક સુધી બસ નથી આવતીઃ બસ સ્ટોપ ઉપર ઉભી નહી રાખતા હોવાની ફરિયાદો ઉઠીઃ સમસ્યા ઉકેલવા જવાબદાર અધિકારીની ખાત્રી

રાજકોટ, તા., ૨૬: શહેરમાં સફળ થયેલી બીઆરટીએસ બસ સેવા છેલ્લા કેટલાક દિવસથી અનિયમીત બનતા આ બસના પેસેન્જરોમાં જબરો દેકારો બોલી ગયો છે.

આ અંગે બીઆરટીએસ બસમાં નિયમીત મુસાફરી કરતા કિરીટભાઇ પટેલ સહિતના મુસાફરોમાં ઉઠવા પામેલી ફરીયાદ મુજબ અગાઉ ગોંડલ ચોકડીથી માધાપર ચોકડી સુધીના બીઆરટીએસ રૂટમાં નિયમીત રીતે ૧૦ થી ૧૫ મીનીટમાં બસ મળી જતી. આથી આ સેવા ખુબ જ સફળ રહી છે અને તંત્રને આવક પણ થઇ રહી છે. આખી બસ મુસાફરોથી ચિક્કાર ભરેલી રહે છે. પરંતુ  છેલ્લા કેટલાક દિવસથી ગોંડલ ચોકડીથી નાનામૌવા ચોક સુધીના એરીયામાં બસ સ્ટોપ ઉપર બીઆરટીએસ સેવા અત્યંત અનિયમીત થઇ ગઇ છે. લોકોને અડધાથી એક કલાક સુધી બસ નથી મળતી. તેના કારણે હેરાન થઇ રહયા છે મુસાફરો.

આ બાબતે જવાબદાર અધિકારીશ્રી સુધી ફરીયાદ પહોંચતા તેઓએ આ અંગે યોગ્ય કરવા ખાત્રી ઉચ્ચારી હતી. (૪.૧૪)

(3:22 pm IST)